શનિવાર, 30 ઑગસ્ટ, 2014

શાકાહાર નુ મહત્વ

શાકાહારવાદ આધ્યાત્મિક જીવન માટે શાકાહાર એ ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. અધ્યાત્મ અને શાકાહાર આમ જોઈએ તો સમાન અર્થ ધરાવતા શબ્દો છે. જો કે, પ્રત્યેક વ્યક્તિ એ શાકાહારી બનવું જ જોઇએ. માનવીયતંત્ર પર પ્રાણીજન્ય ખોરાકની ખરાબ અસરો ને ક્વોન્ટમ વાઈબ્રેશલ સાયન્સ પારખી શક્યું છે. વધુ પડતું ન ખાવું. જરૂરિયાત હોય એટલો જ આહાર લેવો. જેટલી ભૂખ હોય એટલું જ ખાવું. ભૂખ ન હોય તો ક્યારેય ન ખાવું – બ્રહ્મર્ષિ પત્રીજી. શાકાહાર અને આધ્યાત્મિકતા પરમકૃપાળુ પરમાત્મા એવા લોકો પર દયા કરે છે જેઓ બીજા તરફ દયા રાખે છે. આ પૃથ્વી પર રહેલા જીવો પ્રત્યે દયાભાવ રાખો, તો સ્વર્ગની પેલે પાર જે (પરમાત્મા) છે, એ તમારા પર દયા કરશે. - ગંબર મહમદ શાકાહાર થી વધુ સારૂ કોઈ ભોજન નથી જે મનુષ્યના શરીરને ફાયદાકારક હોય તેમજ સાથે સાથે આ ધરતી પર જીવનને બચાવી રાખવામાં સહાયક અને ઉન્નતિકારક હોય. - આલ્બર્ટ આઇન્સ્ટાઇન મનુષ્ય જયારે માંસ આરોગે છે ત્યારે તે પ્રાણીઓના ચેતનાગત ગુણોને પણ ખાય છે. અને એકવાર આવા ગુણો નો અંદર પ્રવેશે છે ત્યારે મનુષ્યમાં પણ ક્રોધ, આક્રમણ, પશુતા અને મૂઢતા જેવી પાશવી વૃત્તિઓમાં વધારો થતો જાય છે. વ્યક્તિ જો અંત:કરણ થી અહિંસક છે તો એ બહાર પણ કોઈને મારી શકતો નથી. - બાબા મુહાયુદ્દીન કોઈને હરાવવાથી કે કોઈ જીવને કષ્ટ આપવાથી કોઈ મહાન બની શકતું નથી. મહાન તો ત્યારે કહેવાય જયારે તે પોતાને હરાવે અને પ્રાણીઓને પીડા આપતી હિંસા રોકે છે. - ગૌતમ બુધ્ધ એક સમય એવો આવશે જયારે મારા જેવા મનુષ્યો જાનવરો ની પણ હત્યાને મનુષ્યવધ જેવું ધૃણિત કાર્ય ગણશે. - લિયોનાર્ડો દા વિન્ચી હું માનું છું કે આધ્યાત્મિક ઉન્નતિ માટે પાયાની વાતોમાંની આ એક છે; આપણા શારીરિક સુખો માટે, આપણી સાથે જીવતા પ્રાણીઓની હત્યા ન કરીએ. - મહાત્મા ગાંધી “અને ઈશ્વરે કહ્યું”, જુઓ મેં તમારા માટે આ ધરતી પણ એવા બીજ (seed) આપ્યા છે, જે તમને જડીબુટ્ટીઓ પણ આપશે અને દરેક વૃક્ષો માંથી જે ફળો તમને મળશે એમાંથી પણ તમને બીજ મળશે. એ (ફળ) તમારો ખોરાક બનશે.” - જીસસ માંસાહાર અને શાકાહાર વચ્ચેનો મુખ્ય ફર્ક એ કે તે સૂર્યપ્રકાશ થી કેટલાં ભરેલા છે. શાકભાજી અને ફળો સૂર્યપ્રકાશ થી એટલાં પરિપૂર્ણ હોય છે કે એમ કહી શકાય કે તે સૂર્યપ્રકાશનાં સઘન સ્વરૂપો જ છે. હાર્દિક સંવેદનાઓના વિકાસ માટે વિવેકપૂર્વક તેમજ શાંતિથી ભોજન લેવું અતિ આવશ્યક છે. આનો અર્થ એ થયો કે વધુ ને વધુ સઘન પ્રકાશ મેળવવો તેમજ આપણા જીવનમાં લાવવો. આ પ્રકાશમાં સુંદર ધ્વનીઓ અંત:નિર્હિત છે જે આપણા હ્ર્દયને બ્રહ્માંડનાં સ્પંદનો અને અજ્ઞાત પાસાંઓ સાથે જોડી આપે છે. પદાર્થનાં પ્રકાશમાન ગુણોને આકર્ષિત કરીને ખાસ કરીને આપણા વિચારો તેમજ ભાવનાઓને ઉજ્જવળ તેમજ આપણા અસ્તિત્વને દેદિપ્યમાન અને પ્રબુધ્ધ કરે છે. આ ફક્ત ઈએ દિવસ માટે જ નથી પરંતુ આ ધરતી પર તમે જ્યાં સુધી રહો છો ત્યાં સુધી તમારા અનુભવો માં આ દિપ્તીનો અહેસાસ કરી શકો છો. તમે શું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો તેના પર તમારા ભવિષ્યનું નિર્માણ પણ થતું હોય છે. આપણું શરીર એક મંદિર જેવું છે. આ મંદિર માં એકાગ્રચિત્તે સભાનતા પૂર્વક કરવામાં આવેલું પ્રત્યેક કાર્ય, એક સુવ્યવસ્થિત પરિણામ આપે છે. પરમ આનંદદાયક બ્રહ્માંડનાં અનુભવો જે હંમેશા તમારા બંધારણનાં જૂના પૂરાણા માળખાના અણુઓ થી આચ્છાદિત રહે છે. તે અણુઓને વધુ ઉચ્ચ પરિસ્કૃત અણુઓમાં બદલીને રૂપાંતરણ જયારે થાય છે ત્યારે તમે ઉત્કૃષ્ઠતા નો અનુભવ કરો છો. તમારા ભોજનનાં ભૌતિક ગુણધર્મો તમારા મન ને ભાવનાઓ ને જ પ્રભાવિત કરે છે એવું નથી, ખરેખર તે તમારા મુખાકૃતિ, બાહ્ય શારીરિક દેખાવ તેમજ વ્યક્તિત્વને પણ બદલી નાખે છે. આપણી આજુબાજુની દરેક ચીજો ઉર્જાથી ભરેલી છે. આ શક્તિઓ જયારે આ પૃથ્વી પર રહેલા પ્રકાશના ઉચ્ચ સ્તરે પહોંચે છે ત્યારે વધુ પરિશુદ્ધ અને પ્રખર બની જાય છે. - Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો