ગુરુવાર, 9 એપ્રિલ, 2015
અન્ય
સુવાક્યો
*:~> **મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી**.* *:~> **મારુ જીવન એજ મારો સંદેશ છે.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.* *:~> **વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.* *:~> **કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.* *:~> **નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.* *:~> **શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.* *:~> **શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.* *:~> **શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.* *:~> **કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.* *:~> **શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે**, **લગની છે.* *:~> **બાળકોને શાબાશી**, **પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.* *:~> **બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.* *:~> **સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.* *:~> **હું કદી શીખવતો નથી**, **હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.* *:~> **શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.* *:~> **તમે ન બોલો તમારા કામને બોલવા દો.* *:~> **જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.* *:~> **ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.* *:~> **પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.* *:~> **બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.* *:~> **બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.* *:~> **દરેક બાળક એક કલાકાર છે.* *:~> **વિચાર કરતાં જ્ઞાન સારુ.* *:~> **બધુ જ પરિવર્તનશીલ છે**, **કશું પણ સ્થિર રહેતું નથી**,* *:~> **વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.* *:~> **તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.* *:~> **તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.* *:~> **જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.* *:~> **મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ**,* *:~> **જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન**, **તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.* *:~> **વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઇર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.* *:~> **મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.* *:~> **દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.* *:~> **એક આંગણું આપો**, **આખું આભ નહિ માગું.* *:~> **અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.* *:~> **મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.* *:~> **સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે**, **ગુલામી તેની શરમ છે.* *:~> **પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.* *:~> **આજના વિચારો આવતી કાલે બોલો.* *:~> **તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.* *:~> **સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.* *:~> **સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.* *:~> **હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો પ્રભુના પયગંબરો છે.* *:~> **બાળકો રાષ્ટ્રનું સુકાન છે.* *:~> **શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.* *:~> **ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.* *:~> **જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.* *:~> **ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.* *:~> **સમય કિમતી છે**, **પણ સત્ય તો એથી વધુ કિમતી છે.* *:~> **જે કંઇ શીખવવાની હિંમત કરે છે**, **તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહી**, **ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ****નથી.* *:~> **વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઈર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે**, **તેની હાર નિશ્ચિત છે.* *:~> **લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
રવિવાર, 5 એપ્રિલ, 2015
આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી
[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ] દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’ અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’ અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા. ‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’ હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’ એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’ દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’ પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’ આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]
ગુરુવાર, 2 એપ્રિલ, 2015
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી એટલે...... ઝવેરચંદ મેઘાણી એટલે કવિ, પત્રકાર, નવલિક, સંશોધક, લોક-સાહિત્યકાર, અને આઝાદી ના લડવૈયા પણ, ગાંધીજી એ મેઘાણી ને "રાષ્ટ્રીય શાયર" નું બિરુદ આપેલુએમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ ને મહીડા. પરીતોસીહ્ક મળ્યો . એ મેઘાણી નો જન્મ ૨૮, ઔગસ્ત, ૧૮૮૬ માં ચોટીલા માં થયેલ. મેઘાણી એ ગુજરાત માં કવિતા, પત્રકારત્વ, વાર્તા, નવલકથા ક્ષેત્રે એક નવી ભાત પાડી. લોકો ની પાસે થી વાર્તા રૂપે, દંતકથા રૂપે પડેલા સાહિત્ય ને મેઘાણી એ સૌરાષ્ટ્ર ના ખૂણે ખૂણે થી ભાટ, ચારણ, બારોટ અને ઘરડા બુઢ્ઢા પાસે થી સાંભળી ને પોતાની આગવી શૈલી માં ઢાળી ને ગુજરાતી સાહિત્ય ને સમ્રુધ કર્યું. મેં ક્યાંક વાંચેલું કે એકવાર મેઘાણી ને કોઈકે કહ્યું કે કત્છ માં એક ડોસીમાં સૌરાષ્ટ્ર ની એક લોક વાર્તા જાણે છે અને ઝવેરચંદ મેઘાણી ધોધમાર વરસાદ માં એજ ઘડી કત્છ જવા નીકળી ગયેલા. મેઘાણી કાઠીયાવાડ ના ગામે ગામે, ચોકે ચોકે , પાદરે પાદરે જઈને અસલ કાઠીયાવાડ ને જગત સામે રજુ કર્યું, લોક સાહિત્ય માં સંપાદન અને સંસોધન ને એમને જગત સામે રજુ કર્યું. મફત રણેકરે sachhu જ કીધું છે કે એક સંસ્થા કરે એટલું કામ મેઘાણી એ એકલે હાથેકરેલું. અને ઈન્દુકુમાર જાની ના શબ્દો માં કહીએ તોએમણે કબરો ખોદી કાઢી ને મૈઅતો ને ઉઠાડીયા અને જીવાડ્યા એમને મસાણે મસાણ જગાડ્યા. કાળી રાતે મસાણ માં સાદ પાડ્યા. મુદડા ને હોકર દીધા. હઝારો પ્રેતો ને એમને કપડા પહેરાવ્યા. એ પ્રેત નથી , નીચા નથી, લુચ્ચા ને હરામખોર નથી એમ સાબિત કરી ને જગત ના ચોક માં ઉભા રાખ્યા. માણસો એ કબુલ કર્યું કે - હા એ સચ્ચા માણસ છે. ચીર નિંદ્રા માં પોઢેલા પાળિયાઓને જગાડી ને એમને બોલતા કાર્ય. મેઘાણી મૂળ બગસરા ગામ ના હતા. એમના પિતા કાલિદાસ અ પોલીસ હતા એમને પોસ્ટીંગ નાં કારણે જુદા જુદા ગામે ફરવું પડતું. મેઘાણી એ શિક્ષણ રાજકોટ માં લીધું. ૧૧૧૨- માં અમને મેત્રિક પાસ ર્યું. ૧૧૧૬ માં ઈંગ્લીશ અને સસ્ક્રુંત માં સ્નાતક થયા. ૧૯૧૭ માં જીવનલાલ લી. નામ ની એલ્લુમિનિઅમ ની .માં નોકરી એ લાગેલા. ૧૯૨૧ માં નોકરી છોડી ને પાછા બગસરા આવી ગયા. ૧૯૨૨ માં ૨૫ વર્ષ ની ઉમરે જેતપુર માં દમયંતીબેન સાથે લગ્ન કર્યા. મેઘાણી ને ગુજરાતી સાહિત્ય નો ચસકો તો નાનપણ થીજ હતો અને કલકત્તા ગયા ત્યાં બંગાળી સાહિત્ય ના પ્રેમ માં પડ્યા. અને એના જ ફળ સ્વરૂપે આપણને "કુરબાની ની કથા" મળી. એ પુસ્તક રવીન્દ્રનાથ ટાગોર ની કથા-ઉ-કહાની નો ગુજરાતી અનુવાદ હતો જે એમને ૧૯૨૨ કર્યો હતો. અને એજ એમની સૌપ્રથમ પુસ્તકહતા મેઘાણી એ સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, અને સૌરાષ્ટ્ર ની રસધાર લખી એમાં સૌરાષ્ટ્ર ની રસધાર ના ૫ ભાગ, સોરઠી બહારવટિયા ના ૩ ભાગ આવી ગયા. એ વાર્તા એમને કઈ એક જગ્યા એ થી નથી મળી ગયી, એક એક વાર્તા માટે એ કઈ કેટલાય વ્યક્તિ ને મળેલા. ક્યાંક અધુરી વાર્તા મળતી, ક્યાંક વાર્તા ની સરુયત મળતી, બીજે થી થોડીક વધરે વાત મળતી, વળી ત્રીજે થી વાત નો અંત મળતો. મેઘાણી એ કટકા ને ભેગા કરતા, સાંધતા, અને સચ્ચી રીતે ગોઠવાતા. અને પછી પોતાની આગવી શૈલી માં ઢળતા. મેઘાણી એ સૌરાષ્ટ્ર નામ ના એક સામયિક માં લખવા નું સારું કર્યું એ રાણપુર થી પ્રસિદ્ધ થતું હતું. , ૧૯૨૬ માં એમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ "વેણી ના ફૂલ" રજુ કર્યો. ૧૯૨૮ માં જ્હાવેરચંદ મેઘાણી ને રણજીત રામ સુવર્ણ ચંદ્રક અવાર્ડ આપો ત્યારે એમની ઉમર ૩૧ વર્ષ ની હતી. એ સમયે અવાર્ડ ખરા અર્થ માં પ્રોત્શાહન માટે અપાતા હતા હવે તો કોઈ લેખક જીંદગી ને છેલ્લા સ્તાગે પહોચે ત્યારે સેક વિચારાય છે. ધણીવાર લેખક કએ કવિ ના કારણે અવાર્ડ ની કિંમત વધી જતી હોય એવું પણ લગએ છે. ૧૯૩૦ માં મેઘાણી એ સિંધુડો લખ્યું એ યુવાનો ને આઝાદી માટે લડવા જોમ પુરતા કાવ્યો થી ભરેલું હતું. એના માટે એમને એજ વર્ષે ૨ વર્ષ જીલ ની સજા થય હતી. ૧૯૩૩ માં એમના પત્ની ગુજરી ગયા, ૧૯૩૪ માં મેઘાણી મુંબઈ ગયા ત્યાં એમને છીત્રદેવી શાથે બીજા લગ્ન કર્યા. પછી જન્મભૂમી માં "કલમ અને કિતાબ " કોલમ લખવા નું શરુ કર્યું. ૧૯૩૬ માં ફૂલછાબ ના તંત્રી બન્યા. ૧૯૪૬ માં એમના પુસ્તક માણસાઈ ના દીવા ને મહીડા પરીતોસિક મળ્યું. ને આજ વર્ષે એ ગુજરાતી સાહિત્ય પરિષદ ના સાહિત્ય વિભાગ ના વાળા તરીકે ચુંટાયા. અને ૯ માર્ચ, ૧૯૪૭ માં આઝાદી જોયા વગર જ ૫૦ વર્ષ ની ઉમરે મેઘાણી એ આ દુનિયા ની વિદાય લીધી