શનિવાર, 30 ઑગસ્ટ, 2014

વિચારધારા

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે. છૂટે ના શ્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દવા અને દુઆમાં લોકો ખૂબ વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી. જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી. પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે. વિચારધારા ૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. ૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે? ૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો. ૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો. - Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો