બુધવાર, 3 સપ્ટેમ્બર, 2014

ભૂવાને ભૂતના

ભૂવાને ભૂતના તુત આ ભારતમાં,
બલી ચડાવે ને બોટલો પીવડાવે કા ?
દવા દારૂ કરે નહિ અંધ શ્રદ્ધામાં મને કા ?
ડાક વગાડેને ભુવા ધુણાવે તુત આ ભારતમાં,
માતાને ખોટા આળ ચડાવે આ ભારતમાં,

પથ્થરને પૂજે જીવતાને કોઈ જાણે નહિ કા ?
ધૂપ દીપમાં ઘી બાળે ગરીબને તેલનું ટીપું આપે નહિ કા ?
જીવતી મા ને મને નહિ પારકે પૂજવા જાય કા ?
ભોળા કા બનો સત્યને કેમ સમજતા નથી,
અસત્ય પાછળ આંધળા બનો કા ?
અભણને “dhansukh”ની એટલી વિંનતી,
તમારા બાલુડાને ભણાવો’તો ભુવા ભાગી જશે,
સત્ય દીપી જશે ભુવા ભારાડીનો યુગ આથમી જશે,

Dhansukh Jethava



હતો હું  સૂતો  પારણે પુત્ર નાનો
રડું  છેક તો રાખતું  કોણ છાનો
મને દુખી દેખી  દુખી કોણ થાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

સૂકામાં  સુવાડે  ભીને પોઢી પોતે
પીડા પામું  પંડે તજે સ્વાદ તો તે
મને  સુખ  માટે  કટુ  કોણ ખાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

લઈ છાતી સાથે  બચી કોણ લેતું
તજી  તાજું ખાજું  મને કોણ દેતું
મને કોણ  મીઠા  મુખે ગીત ગાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે  પાંપણે   પ્રેમનાં  પૂર  પાણી
પછી  કોણ પોતા તણું  દૂધ પાતું
મહા હેતવાળી  દયાળી જ મા તું
- Dhansukh Jethava


અમે મૈયારા રે…ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ  મહિ  વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા
મૈયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી  ભાન  સાન  ઉંઘતી  જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારા રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર  નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં
- Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો